ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા. અહીં પીએમ મોદીએ સોનમર્ગ ટનલનું ઉદ્‌ઘાટન કર્યું. આ ટનલ ખુલ્યા પછી, સામાન્ય લોકો તેમજ દેશના સશ† દળોને મોટો ફાયદો થવાની અપેક્ષા છે. ઝેડ-મોર ટનલ શ્રીનગર-લેહ હાઇવે પર બનાવવામાં આવી છે. આ ટનલ ડબલ લેન છે અને તેની લંબાઈ ૬.૪ કિલોમીટર સુધીની છે. આ ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગ સાથે જાડશે.
શિયાળાની ઋતુમાં બરફવર્ષાને કારણે આ વિસ્તારનો હાઇવે ૬ મહિના સુધી બંધ રહે છે. જાકે, હવે ઝેડ-મોર ટનલના ઉદ્‌ઘાટન પછી, લોકોને ટનલ દ્વારા ઓલ-વેધર કનેટીવિટી મળશે. આ પ્રોજેક્ટ સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને વિસ્તારમાં બેરોજગારી દૂર કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.
વાસ્તવમાં, શિયાળામાં સોનમર્ગનો નજારો ખૂબ જ સુંદર હોય છે, પરંતુ રસ્તો બંધ હોવાને કારણે પ્રવાસીઓને અહીં આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જાકે, હવે ઝેડ-મોર ટનલની મદદથી શ્રીનગર અને સોનમર્ગ વચ્ચે આખું વર્ષ કનેÂક્ટવિટી મળવાથી આ સ્થળનું વૈશ્વીક આકર્ષણ વધશે. હવે પ્રવાસીઓ આખા વર્ષ દરમિયાન સોનમર્ગ આવી શકે છે. એવું માનવામાં આવે છે કે સોનમર્ગ ફક્ત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થશે. વિદેશી પ્રવાસીઓ પણ આ સ્થળની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
ઝેડ-મોર ટનલની મદદથી શ્રીનગર અને સોનમર્ગ વચ્ચેનો મુસાફરીનો સમય પણ ઘણો ઓછો થઈ ગયો છે. આ ટનલની મદદથી સેનાને પણ ફાયદો થશે. પહેલાં, આ રૂટ પર વાહનો વળાંકવાળા રસ્તાઓ પર ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા હતા. જાકે, હવે વાહનો ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ સાથે, ઝેડ-મોર ટનલમાંથી પ્રતિ કલાક ૧૦૦૦ વાહનો પસાર થઈ શકે છે. ટનલના નિર્માણ પછી, દ્રાસ અને કારગિલ જેવા વિસ્તારો પણ આખું વર્ષ મુખ્ય વિસ્તાર સાથે જાડાયેલા રહેશે.