(એ.આર.એલ),કોલકાતા,તા.૨
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ફરી એકવાર મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટીકા કરી છે. આનંદ બોઝે બુધવારે ચેન્નાઈમાં રાજ્યના એક સ્થળાંતર કામદારના કથિત ભૂખમરાને કારણે મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની ટીકા કરતાં કહ્યું હતું કે તેમના “બંધારણીય સાથીદારો લોકોના જીવન સાથે રમી રહ્યા છે.”બોસે આ ટિપ્પણી સોમવારે તમિલનાડુની રાજધાનીમાં ‘ભૂખ’ના કારણે પૂર્વ મેદિનીપુર જિલ્લાના એક પરપ્રાંતિય મજૂરના મૃત્યુને પગલે કરી હતી. તેમણે રાજ્યમાં પરપ્રાંતિય કામદારોની દુર્દશા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી જેમને આજીવિકાની શોધમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રાજ્યપાલે પૂછ્યું કે શું મમતા બેનર્જીગાંધીજીના પ્રિય દરિદ્ર નારાયણની આ રીતે સંભાળ રાખે છે? ભગવાન દરેકને શાંતિ આપે.” સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ઘણા સ્થળાંતર કામદારો નોકરીની શોધમાં ચેન્નાઈ ગયા હતા પરંતુ તેમને કોઈ નોકરી મળી ન હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ કામદારો ‘ભૂખ્યા’ અને દયનીય હાલતમાં મળી આવ્યા હતા, જેમાંથી કેટલાકને ચેન્નાઈ રેલ્વે સ્ટેશનથી બેભાન અવસ્થામાં બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ વાતની પુષ્ટિ હોસ્પટલમાં પણ કરવામાં આવી છે જ્યાં પાંચ મજૂરોને દાખલ કરવામાં આવ્યા હતા.જેમાંથી ત્રણની હાલત નાજુક છે. તેમણે કહ્યું કે એક કામદાર સમર ખાનનું ૩૦ સપ્ટેમ્બરે મૃત્યુ થયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે ખાનના મૃતદેહને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં મોકલવામાં આવી રહ્યો છે જ્યારે અન્ય ચાર હોસ્પટલમાં દાખલ છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. બોસે કહ્યું કે રાજ્ય સરકારે સ્થળાંતર કામદારોની દુર્દશા માટે “સંવેદનશીલ અને પ્રતિભાવશીલ” હોવું જાઈએ. બોઝ કેરળમાં હતા અને ઘટના બાદ તેઓ ચેન્નાઈ ગયા અને હોસ્પટલોમાં દાખલ અને આશ્રય ગૃહોમાં રહેતા લોકોની મદદ માટે અધિકારીઓને પણ મોકલ્યા. બોસે રાજ્ય સરકારને સ્થળાંતર કામદારોની મદદ માટે અસરકારક પગલાં ભરવા વિનંતી કરી છે.