ધારી તુલસીશ્યામ હાઈવેની હાલ કામગીરી ચાલી રહી છે. લોકોની સુખાકારી માટે અને પ્રવાસીઓને સારી સુવિધાઓ મળી રહે એ માટે ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે,પરંતુ લોકોને આ સુવિધાઓ મળે એ પેહલા અનેકવિધ દુવિધામાંથી પસાર થવાનો વારો આવ્યો છે. હીમખીમડી પરાથી લઇને રેલ્વે ફાટક સુધીની આર.સી.સી કામગીરીના કારણે અવારનવાર છાશવારે નાનામોટા અકસ્માતો સર્જાય રહેલા છે. ટ્રાફિકથી ધમધમતા ધારીથી તુલસીશ્યામ સુધીના રોડની કામગીરી બાબતે ક્યાંક ને ક્યાંક લોકો પીડા પણ સહન કરી રહેલા છે.છેલ્લા એકાદ મહિનહથી આર.સી.સી રોડનું કામ શરૂ છે. મનફાવે ત્યાં ખોદાણ કામ કરીને ભરતી કરવામાં ક્યાંકને ક્યાંક ઘણા દિવસોનું અંતર પણ રાખવામાં આવે છે. ટ્રાફિકને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તોતીંગ વાહનો જ્યારે સામેથી આવતા હોય છે ત્યારે બીજા વાહનચાલકો અટવાય છે.અને એમાં પણ વાહનચાલકો વચ્ચે ચકમક જરે છે. છાશવારે નાનામોટા અકસ્માતોની ઘટનાઓ સર્જાય છે,પરંતુ બેદરકાર તંત્ર લોકોને પડતી મુશ્કેલીનુ નિવારણ લાવતું નથી.