રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદની નુકસાનીની સ્થિતિ બાદ ખેડૂતોની પડખે રહી અને ગતરોજ રૂ.૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજને ધારી તાલુકાની ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી (ર્હ્લઁં)એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો છે. આ કૃષિ રાહત પેકેજ બદલ આભાર વ્યક્ત કરતા મંડળી વતી ભાવનાબેન ગોંડલિયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદના કારણે તમામ પાકને જણસને નુકસાન પહોંચ્યું હતું. એ નુકસાનને પહોંચી વળવા થઈ અને ખેડૂતોની પડખે ઉભા રહેવા માટે રાહત પેકેજ આપ્યું છે અને સાથે આશ્વાસનરૂપ સરકાર સાથે ઊભી રહી છે. કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકારના સંવેદનશીલ નિર્ણય થકી રૂ.૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ તથા રૂ.૧૫,૦૦૦ કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણની ભાવનાનું પ્રતિબિંબ છે તેમ મંડળીએ જણાવ્યું હતું.