એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે ધાર્મિક પરિવર્તન અથવા આંતરજાતિય લગ્ન વ્યકિતની જાતિ ભૂંસી નાખતા નથી. આનો અર્થ એ છે કે ધર્મ બદલવો કે બીજી જાતિમાં લગ્ન કરવાથી વ્યકિતની જાતિ બદલાઈ શકતી નથી. કોર્ટે એસસી એસટી કાયદા હેઠળ ફોજદારી અપીલ ફગાવી દેતી વખતે આ અવલોકન કર્યું હતું. ન્યાયાધીશ અનિલ કુમાર દશમે અપીલકર્તા દિનેશ અને અન્ય આઠ લોકોની અરજી ફગાવી દેતી વખતે આ નિર્ણય આપ્યો હતો.
અપીલકર્તાઓએ ૨૭ જુલાઈ, ૨૦૨૨ ના રોજ અલીગઢના સ્પેશિયલ જજ,એસસી એસટી એક્ટ દ્વારા જારી કરાયેલા આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ કેસ ૨૦૨૨ માં અલીગઢના ખૈર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર થી શરૂ થયો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અપીલકર્તાઓએ ફરિયાદી મહિલા પર હુમલો કર્યો, દુર્વ્યવહાર કર્યો અને જાતિ આધારિત અપમાન કર્યું.એફઆઇઆર ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૩, ૫૦૬, ૪૫૨, ૩૫૪ અને એસસી એસટી એક્ટની કલમ ૩(૧)(ઇ) હેઠળ નોંધવામાં આવી હતી.
અપીલકર્તાઓએ દાવો કર્યો હતો કે ફરિયાદી, મૂળ બંગાળની અને એસસી એસટી સમુદાયની છે, બીજી જાતિ (જાટ) ના પુરુષ સાથે લગ્ન કર્યા પછી હવે તેની એસસી એસટી ઓળખ જાળવી શકતી નથી. ફરિયાદીએ જાટ સમુદાયમાં લગ્ન કર્યા હતા, તેથી તે હવે એસસી એસટી શ્રેણીમાં આવતી નથી. આ આધારે, એસસી એસટી કાયદા હેઠળ આરોપો ઘડી શકાતા નથી. આરોપોને પાયાવિહોણા અને “પ્રતિશોધાત્મક” જાહેર કરવામાં આવ્યા હતા કારણ કે અપીલકર્તાઓ સામે હ્લૈંઇ પહેલાથી જ દાખલ થઈ ચૂકી છે.
સરકાર અને ફરિયાદીએ જણાવ્યું હતું કે એફઆઇઆર અને ફરિયાદ બંને એક જ ઘટનાનું દસ્તાવેજીકરણ કરે છે – આરોપીએ હુમલો કર્યો અને જાતિ સંબંધિત અપશબ્દોનો ઉપયોગ કર્યો. ઘાયલોના તબીબી અહેવાલો કેસને મજબૂત બનાવે છે. લગ્નથી જાતિ બદલાય છે તે દલીલ કાયદેસર રીતે અમાન્ય છે.
હાઈકોર્ટે શું કહ્યું?
લગ્નથી જાતિ બદલાતી નથી.
કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જા કોઈ અલગ જાતિમાં લગ્ન કરે તો પણ તે તેની મૂળ જાતિ ગુમાવતી નથી.
જા કોઈ વ્યકિત ધર્મ બદલે છે, તો પણ તેઓ તેમની મૂળ જાતિ જાળવી રાખે છે, સિવાય કે રાજ્ય દ્વારા આ પરિવર્તનને ઔપચારિક રીતે માન્ય કરવામાં આવે.
ફરિયાદી, સાક્ષીઓ, ઈજાના પુરાવા અને નિવેદનોના આધારે શરૂ કરાયેલી પ્રક્રિયામાં ટ્રાયલ કોર્ટે ભૂલ કરી નથી.
ક્રોસ-એફઆઈઆર કોઈ આધાર નથી.
બંને પક્ષો દ્વારા ક્રોસ-એફઆઈઆરની હાજરી ફરિયાદને અમાન્ય કરી શકતી નથી. આખરે, કોર્ટે ઠરાવ્યું કે અપીલકર્તાઓની દલીલ કાયદેસર રીતે બિનટકાઉ હતી અને તેમની ફોજદારી અપીલને ફગાવી દીધી.
આ ચુકાદો સામાજિક ન્યાય પ્રણાલી માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે સિદ્ધાંતને ફરીથી સ્થાપિત કરે છે કે જાતિ જન્મ-આધારિત ઓળખ છે, જે લગ્ન અથવા ધાર્મિક પરિવર્તનથી પ્રભાવિત થતી નથી. ફરિયાદીની ઓળખ એસસી એસટી કાયદા હેઠળ માન્ય છે, પછી ભલે તેણી કોની સાથે લગ્ન કરે છે.










































