છત્તીસગઢના જશપુર જિલ્લામાં સોમવારે એક મોટો વિમાન અકસ્માત થયો. આરા પર્વત સાથે અથડાયા પછી એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ થયું. આ દુઃખદ અકસ્માતમાં પાઇલટ અને સહ-પાઇલટના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. વહીવટીતંત્ર અન્ય કોઈ મુસાફરો હતા કે કેમ તે અંગે માહિતી એકત્રિત કરી રહ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાર્ટર્ડ વિમાન આરા પર્વતો ઉપર ઉડતું હતું જ્યારે તે પર્વતની ટોચ સાથે અથડાયું. ટક્કર બાદ વિમાનના ટુકડા થઈ ગયા. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘટનાસ્થળનું દ્રશ્ય જાવા મળી રહ્યું છે.અકસ્માતના સમાચાર મળતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને એસએસપી લાલ ઉમ્મેદ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા. વહીવટી અધિકારીઓની હાજરીમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
અન્ય સમાચારમાં, તેલંગાણાના હૈદરાબાદથી કર્ણાટકના હુબલી જતી પ્રાદેશિક એરલાઇન ફ્લાય૯૧ની ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે બેંગલુરુ વાળવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. રવિવારે સાડા ત્રણ કલાક સુધી વિમાન ઉડાન ભર્યા બાદ મુસાફરો ગભરાઈ ગયા હતા, કેટલાક તો રડતા અને તેમની સલામતી માટે પ્રાર્થના પણ કરતા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે હૈદરાબાદથી બપોરે ૩ વાગ્યે ઉપડેલી ફ્લાઇટ લગભગ ૪.૩૦ વાગ્યે હુબલી પહોંચવાની હતી પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે ત્યાં ઉતરાણ કરી શકી ન હતી.









































