યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાને
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે હરણફાળ ભરવામાં આવી છે. વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જ શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉચ્ચકક્ષાનું જ્ઞાન પીરસવામાં આવે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત આ સંસ્થામાં ગુજરાત રાજ્યમાં પ્રાધાન્ય આપી સર્વપ્રથમ
સંસ્કૃત શક્તિ ગુરુકુળની મંજૂરી આપવામાં આવી છે. પૂજ્ય રતિદાદાનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર થયું છે. પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં અને ભારતભુષણ મહેશભાઈના પ્રયત્નોથી જિલ્લાના બાળકોને વેદ ભણવા જવા માટે હવે બહાર જવું પડશે નહીં. સરકારની સંસ્કૃત શક્તિ ગુરુકુળ યોજના અંતર્ગત વિનામૂલ્યે પ્રવેશ અપાશે. આ માટે મોબાઈલ નંબર ૯૪૨૭૭૪૩૮૧૭ અથવા ૯૪૨૯૮૩૮૦૧૭નો સંપર્ક કરવા સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.
સંસ્થાની વિશેષતાઓ:-
- અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંકલ્પિત સંસ્થા.
- યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલાને મળી સંસ્કૃત શક્તિ ગુરુકુળની મંજૂરી.
- સરકારની સંસ્કૃત શક્તિ ગુરુકુળ યોજના અંતર્ગત વિનામૂલ્યે પ્રવેશ આપશે.
- પૂ. શ્રી. ડો. રતિદાદાના સાનિધ્યમાં બાળકો વેદ અભ્યાસ કરશે.
- ધોરણ ૬ થી ૧૨ સુધી દીકરા દીકરીઓ વિનામૂલ્યે અભ્યાસ કરશે.
- સંસ્કૃત અભ્યાસ સાથે બાળકોને કરાટે, સ્કેટિંગ, ધનુર્વિદ્યા, ઘોડેસવારી, યોગ, આર્મી ટ્રેનિંગ સાથે
- સંસ્કાર યુક્ત શિક્ષણ અપાશે.
- પૂ. શ્રી. ડો. રતિદાદાનું સપનું થયું સાકાર.
- હવે આપણા જિલ્લાના બાળકોને વેદ અભ્યાસ અર્થે બીજા જિલ્લામાં જવું નહિ પડે.
- સંસ્કૃત પાઠશાળા તથા દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ કરેલ વેદાચાર્યો દ્વારા
- બાળકોને વેદ અભ્યાસ કરાવાશે.
- ધોરણ ૬ માં દીકરા દીકરીઓ માટે હોસ્ટેલની અલગ અલગ સુવિધા.
- ચોપડા તથા યુનિફોર્મ સંસ્થા દ્વારા વિનામૂલ્યે અપાશે.