ચલાલામાં શ્રી રામાનંદી સાધુ સમાજ સેવાકીય પ્રવૃતિમંડળ દ્વારા તા.રર જાન્યુઆરીને બુધવારનાં રોજ પટેલવાડી ખાતે સવારે ૮ કલાકથી રામાનંદાચાર્ય મહારાજની જન્મ જયંતિ અને અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે. સવારે રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. ત્યારબાદ સાધુ-સંતો, મહંતોનાં હસ્તે ધર્મસભા અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં દાન મહારાજની જગ્યાનાં લઘુમહંત મહાવીર બાપુ, ગાયત્રી સંસ્કારધામ ચલાલાથી રતીદાદા, નટુબાપુ, મયુરબાપુ, સાંસદ ભરતભાઈ સુતરીયા, કૌશિકભાઈ વેકરીયા, જે.વી. કાકડીયા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહેશે.