રાજય સરકારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં અમરેલી જિલ્લાને બાદ કરી રાજયના ર૦ જિલ્લા માટે રાહત પેકેજ જાહેર કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે રોષ સાથે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોનો સોથ વળી ગયો છે. ખેડૂતોને દિવાળી ટાળે હોળી જેવો ઘાટ સર્જાયો છે. જિલ્લાના ધારાસભ્યોએ અમરેલી જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર થાય તેવી રજૂઆત કરી હતી પરંતુ રાજય સરકારે હાલ જાહેર કરેલ રાહત પેકેજમાં અમરેલી જિલ્લાને ઠેંગો બતાવ્યો છે. જા કે રાજય સરકાર તરફથી આ રાહત પેકેજ ઓગષ્ટ મહિનાનું હોવાનું જણાવ્યું હતું. હાલ તો અમરેલી જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજ કયારે જાહેર થાય તેના પર મીટ માંડીને બેઠા છે.