સાવરકુંડલા શહેરમાં હાલ સખત ગરમી વચ્ચે કાળઝાળ ઉનાળા દરમિયાન લોકોની રોજિંદી જરૂરિયાત એવા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમ જેમ ઉનાળાની પ્રખર ગરમી પડે એટલે ગુવાર, રીંગણાં, ટમેટા, દુધી જેવા અનેક રોજબરોજના ઉપયોગમાં આવતા શાકભાજીના ભાવ આસમાને પહોંચે છે. ખાસ કરીને ગુવાર, તુરિયા જેવા શાકભાજી તો ૧૫૦ આસપાસ કિલો લેખે વેચાતાં જોવા મળે છે. જોકે, ગરીબ માણસની કસ્તૂરી એટલે કે ડુંગળી વીસથી પચ્ચીસ રૂપિયે કિલો વેચાણ થતી જોવા મળે છે. જો ચોમાસુ હજુ પાછુ ઠેલાશે તો શાકભાજીના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. આ ભાવ વધારો ગૃહિણીઓના રસોડાના બજેટને ખોરવનાર સાબિત થાય છે.