મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદને કારણે ડુંગળી અને ટામેટાંના પાકને નુકસાન થયું છે. જેના કારણે દિલ્હીમાં ટામેટા અને ડુંગળીનો પુરવઠો ઘટી ગયો છે. જેની અસર ભાવમાં જોવા મળી રહી છે. જૂન મહિનામાં જ, છૂટક બજારમાં ટામેટાંના ભાવ ૨૪ રૂપિયાથી વધીને ૩૦ રૂપિયા થઈ ગયા છે. જે આગામી બે અઠવાડિયામાં બમણા થઈને એક મહિનામાં ૮૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે. બીજી તરફ, ડુંગળીના ભાવમાં પણ પ્રતિ કિલો ૬ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આગામી એક મહિનામાં ડુંગળીના ભાવ ૫૦ રૂપિયા સુધી પહોંચી શકે છે.

હકીકતમાં, મે મહિનાના બીજા પખવાડિયામાં, મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. જેની અસર દેશના અન્ય બજારોમાં અથવા કહો કે દેશની રાજધાની દિલ્હીમાં જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે, ડુંગળી અને ટામેટાં બંનેનો પાક ખૂબ જ ખરાબ થયો છે. ભારે વરસાદની અસર પુરવઠા પર પણ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં, ડુંગળી અને ટામેટાંના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. ચાલો તમને એ પણ જણાવીએ કે દિલ્હીમાં ડુંગળી અને ટામેટાંના ભાવ કેટલા વધી ગયા છે અને આગામી દિવસોમાં ભાવ ક્યાં સુધી જઈ શકે છે.

છેલ્લા બે દિવસમાં એટલે કે ૧ અને ૨ જૂને ડુંગળી અને ટામેટાના ભાવમાં ૪૦ થી ૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. છૂટક ભાવમાં આ વધારો જાજોવા મળ્યો છે. ૩૧ મેના રોજ દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ ૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો, જે ૨ જૂને વધીને ૩૦ રૂપિયા પ્રતિ કિલો થયો છે. તે જ સમયે, ગયા મહિનાના છેલ્લા દિવસે ટામેટાંનો છૂટક ભાવ ૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો, જે ૨ જૂને વધીને ૩૫ રૂપિયા પ્રતિ કિલો થયો છે. આનો અર્થ એ થયો કે બે દિવસમાં ટામેટાંના ભાવમાં ૧૫ રૂપિયા એટલે કે ૭૫ ટકાનો વધારો જાવા મળ્યો છે. જ્યારે ડુંગળીમાં ૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.

બજાર ભાવની વાત કરીએ તો, ૩૧ મેના રોજ ડુંગળીનો ભાવ ૧૫ રૂપિયા પ્રતિ કિલો હતો, જે ૨ જૂને વધીને ૨૧ રૂપિયા પ્રતિ કિલો થયો છે. આનો અર્થ એ થયો કે બજારમાં ડુંગળીનો ભાવ ૪૦ ટકા વધ્યો છે. બીજી તરફ, ૩૧ મેના રોજ બજારમાં ટામેટાંનો જથ્થાબંધ ભાવ ૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો, જે ૨ જૂને વધીને ૨૭ રૂપિયા પ્રતિ કિલો થયો છે. આનો અર્થ એ થયો કે બે દિવસમાં ટામેટાંનો ભાવ ૩૫ ટકા વધ્યો છે.

બીજી તરફ, જો આપણે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લાસલગાંવની વાત કરીએ, તો ડુંગળીના ભાવમાં પણ જબરદસ્ત વધારો થયો છે. છેલ્લા પખવાડિયામાં ડુંગળીના ભાવમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો છે, જેનું મુખ્ય કારણ ભારે વરસાદ છે, જેના કારણે પાકને નુકસાન થયું છે અને બજારમાં શાકભાજીનું આગમન ઓછું થયું છે. ઉત્પાદન અને સંગ્રહમાં વધારો થયો હોવા છતાં, ડુંગળી મોંઘી થઈ ગઈ છે. વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે ડુંગળીની અપેક્ષિત સરકારી ખરીદીથી ભાવમાં થોડો વધારો થવાની શક્યતા છે. ભારતના સૌથી મોટા ડુંગળી બજાર, નાસિકના લાસલગાંવ જથ્થાબંધ બજારમાં, સરેરાશ ભાવ ૧૫ મેના રોજ પ્રતિ કિલો ૧૧.૫૦ રૂપિયાથી વધીને ૩૧ મેના રોજ ૧૪ રૂપિયા થઈ ગયો છે.

દિલ્હીમાં ડુંગળી અને ટામેટાંના છૂટક વેપારી પપ્પુ સિંહ કહે છે કે ડુંગળી અને ટામેટાંની આવકમાં ઘણો ઘટાડો થયો છે. આનું કારણ એ છે કે મહારાષ્ટ્ર અને દક્ષિણમાં ડુંગળી અને ટામેટા ઉત્પાદક મુખ્ય રાજ્યોમાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. જેની અસર આગમન પર પડી રહી છે. બજારમાં ડુંગળી અને ટામેટાંના ભાવમાં વધારો થયો છે. જેના કારણે છૂટક વેચાણમાં પણ તેની અસર જોવા મળી છે. પપ્પુએ જણાવ્યું હતું કે આગામી ૧૫ દિવસમાં ટામેટાંના ભાવ ૫૦ રૂપિયાને પાર કરી શકે છે. જ્યારે ડુંગળીના ભાવ ૪૦ થી ૫૦ રૂપિયાની વચ્ચે રહી શકે છે. જુલાઈ મહિનામાં ટામેટાંના ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોંચે છે અને ડુંગળીના ભાવ ૫૦ થી ૭૦ રૂપિયાની વચ્ચે રહેવાની શક્યતા છે.

બીજી બાજુ, જો આપણે સરકારી ભાવોની વાત કરીએ, તો તેમાં બે દિવસમાં વધારો જોવા મળ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર, ૩૧ મેના રોજ દેશમાં ડુંગળીનો સરેરાશ ભાવ ૨૬.૦૧ રૂપિયા પ્રતિ કિલો હતો. જે ૨ જૂને વધીને ૨૬.૨૪ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો. ટામેટાંની વાત કરીએ તો, ૩૧ મેના રોજ દેશમાં ટામેટાંનો સરેરાશ ભાવ ૨૫.૪૯ રૂપિયા હતો, જે ૨ જૂને વધીને ૨૬.૪૧ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો. તે જ સમયે, દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીનો ભાવ ૩૧ મેના રોજ ૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો, જે ૨ જૂને ૨૭ રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો. એટલે કે, બે દિવસમાં ૩૫ ટકાનો વધારો જોવા મળ્યો. ટામેટાંની વાત કરીએ તો, ૩૧ મેના રોજ દિલ્હીમાં ભાવ ૨૦ રૂપિયા હતો, જે ૨ જૂને વધીને ૨૩ રૂપિયા થઈ ગયો છે.