(એ.આર.એલ),મુંબઇ,તા.૨૫
મહારાષ્ટ વિધાનસભા ચૂંટણીમાં ઘણી બેઠકો પર ખૂબ જ રસપ્રદ મુકાબલો જાવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથે વરલીથી રાજ્યસભાના સાંસદ મિલિંદ દેવરાને ટિકિટ આપી છે.
શિવસેના (યુબીટી)ના ઉમેદવાર આદિત્ય ઠાકરે દેવરા સામે ચૂંટણી મેદાનમાં છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે દેવરાના નામની જાહેરાત આદિત્ય ઠાકરેએ ઉમેદવારી નોંધાવ્યાના એક દિવસ બાદ કરવામાં આવી છે. જાણીતું છે કે મિલિંદ દેવરા હાલમાં રાજ્યસભાના સભ્ય છે અને દક્ષિણ મુંબઈથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. દેવરાને લોકસભા ચૂંટણી દરમિયાન વરલી મતવિસ્તાર સંભાળવાની જવાબદારી મળી હતી. આદિત્યનો મતવિસ્તાર હોવા છતાં યુબીટીને વર્લી વિધાનસભામાં માત્ર ૬૫૦૦ મતોની લીડ મળી હતી. આવી સ્થતિમાં વિધાનસભા ચૂંટણીમાં પણ બંને વચ્ચે જારદાર સ્પર્ધા થઈ શકે છે.
મિલિંદ દેવરા અને આદિત્ય ઠાકરે પણ વર્લીમાં સ્દ્ગજીના સંદીપ દેશપાંડે સામે ટક્કર આપશે, જેમને આ મતવિસ્તારમાંથી ટિકિટ મળી છે. મહારાષ્ટÙના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ ગુરુવારે દક્ષિણ મધ્ય મુંબઈમાં વરલી વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી. મહારાષ્ટના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા રોડ શો કર્યો હતો. તેમણે લોઅર પરેલના મંદિરમાં પૂજા પણ કરી હતી. વરલી મતવિસ્તારના ઘણા શિવસેના યુબીટી કાર્યકરો અને તેમના સમર્થકોએ તેમાં ભાગ લીધો હતો. જેમાં કિશોરી પેડનેકર અને સચિન આહીર જેવા નેતાઓ મુખ્ય છે.આદિત્ય ઠાકરેએ પત્રકારોને કહ્યું કે, ‘લોકસભાની ચૂંટણી દરમિયાન મહારાષ્ટની જનતાને સમજાઈ ગયું છે કે ભાજપ પોકળ વચનોવાળી પાર્ટી છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વિરુદ્ધ મતદાન કર્યું છે. ભાજપે મહારાષ્ટને લૂંટ્યું છે. તે જાણીતું છે કે ૨૨ ઓક્ટોબરે મહારાષ્ટ વિધાનસભાની ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી રાજ્યભરમાં ૧૫૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૯ ઓક્ટોબર છે. ૨૮૮ સભ્યોની મહારાષ્ટ વિધાનસભા માટે ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને ૨૩ નવેમ્બરે મતગણતરી થશે.