ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયા દ્વારા મહાકુંભના મેળામાં ૩૦ સ્થાન પર ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત શ્રદ્ધાળુઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. વિદેશી શ્રદ્ધાળુઓ દ્વારા પણ ભોજન પ્રસાદ લેવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી દેવેશ ઉપાધ્યાય સહિત પરિષદના અનેક પદાધિકારીઓ દ્વારા સેવા આપવામાં આવી હતી.