અમરેલી લોહાણા વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ દ્વારા લોહાણા મહાજનની વાડીમાં રઘુવંશી સમાજનો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ ડો. ભરતભાઈકાનાબાર તથા તેમની ટીમના અન્ય સદસ્યો ઉપપ્રમુખ ભાવેશભાઈ સોઢા તથા ભાવેશભાઈ વસાણી, સેક્રેટરી સતીષભાઈ આડતીયા, સહમંત્રી ભાસ્કરભાઈ જાબનપુત્રા તથા ખજાનચી રમણિકભાઈ ગઢીયાનું ભવ્ય સન્માન કરાવામાં આવ્યુ હતુ. ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારનું અમરેલી જીલ્લાના અન્ય તાલુકા – ચલાલા, ધારી, બગસરા, લીલીયા, ગારીયાધાર, રાજુલા, સાવરકુંડલા, બાબરા, વીજપડી, કુંકાવાવ, વડીયા, દામનગર અને ખાંભા મહાજનનાં ટ્રસ્ટીઓએ શાલ, મોમેન્ટો તથા ફુલહારથી સન્માન કર્યુ હતુ. આ ઉપરાંત, તેમના અધ્યક્ષ સ્થાને મળેલ મહાજન ટ્રસ્ટની પ્રથમ મીટીંગમાં લેવાયેલા જ્ઞાતિહિતના કેટલાક નિર્ણયો જાહેર કરતા જણાવ્યુ હતુ કે, કોઈપણ કન્યા પક્ષના પરિવારનો સગાઈ કે લગ્ન પ્રસંગ હશે તેમા એકપણ રૂપિયાનું ભાડું લેવાશે નહિ.કાર્યક્રમ દરમ્યાન ડો. કાનાબારની રકતુલા માટે તા.ર૯, ૩૦, ૩૧ એમ ત્રણ દિવસ રકતદાન કેમ્પોનું આયોજન કરાયું હતુ. જેમાં ૬૩ રઘુવંશી યુવાનો સહિત કુલ ૧૯પ લોકોએ રકતદાન કર્યુ હતું. આ રકતદાન કેમ્પોને સફળ બનાવવામાં યોગેશભાઈ ગણાત્રા, પ્રિતેશભાઈ માનસેતા મેહુલભાઈ વડેરાએ જહેમત ઉઠાવી હતી.