અમરેલી નાગરિક સહકારી બેંક લિ. દ્વારા તેના સભાસદ સ્વ. પંકજભાઈ કનુભાઈ કારેલીયાના વારસદાર એવા તેમના પત્ની રૂપાબેન પંકજભાઈ કારેલીયાને અકસ્માત મૃત્યુ સહાય યોજના હેઠળ રૂ. ૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. બેંક દ્વારા સભાસદો માટે ચલાવવામાં આવતી અકસ્માત વીમા સહાય યોજના અંતર્ગત આ સહાય ચૂકવવામાં આવી છે. આ ચેક અર્પણ કાર્યક્રમ બેંકના ચેરમેન જયેશભાઈ એમ. નાકરાણી, મેનેજિંગ ડિરેક્ટર શૈલેષભાઈ બી. સંઘાણી, વાઈસ ચેરમેન ભાવિનભાઈ જે. સોજીત્રા અને બેંકના મેનેજર દિલીપભાઈ ધોરાજીયા દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બેંકના આસિસ્ટન્ટ મેનેજર સંજયભાઈ રાજપરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમરેલી નાગરિક સહકારી બેંકે આ સહાય દ્વારા તેના સભાસદ પ્રત્યેની કુટુંબ ભાવના વ્યક્ત કરી છે.