આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ બગસરા અને લુણીધાર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ૩૦ લાખ વૃક્ષો રોપવાના આયોજન અંતર્ગત આ પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણી, ડાયરેક્ટર હરેશભાઈ પટોળીયા, યુવા સમિતિના ડાયરેક્ટર રવિભાઈ ધાનાણી, નિરવભાઈ ગોંડલીયા, એક્ઝિક્યુટિવ ભાર્ગવ ત્રિવેદી, સી.ઈ.આઈ સાગર મહેતા, લુણીધારના સરપંચ રાજેશભાઈ દામોદરા, ઉપસરપંચ કિરીટભાઈ સરધારા, ગ્રામજનો, સહકારી અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સહકારી સંઘની પ્રતિબદ્ધતા દર્શાવે
છે.