અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા સમયાંતરે પ્રાકૃતિક કૃષિ વિષયક સેમિનાર, સંવાદ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સહિત મહિલા ખેડૂતો પણ જોડાઇને માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. ગુજરાત રાજય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, સખીમંડળ અને ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરુરી
જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા જરુરી માળખાકિય સુવિધા માટે સંસ્થાઓ-ગ્રુપને પ્રોત્સાહન આપવા સહાય યોજના અમલી છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જરુરી જીવામૃત-ઘન જીવામૃત, બીજામૃત, પાક સંરક્ષણ શસ્ત્રો વગેરે બનાવવા માટે દેશી ગાય એ પાયાની જરુરિયાત છે. દેશી ગાય ન રાખી શકતા હોય કે દેશી ગાય ન હોય ત્યારે અસરકારક રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ મુજબ ખેતી થઇ શકતી નથી. આવું ન બને તે માટે રાજય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. પ્રાકૃતિક
કૃષિ માટે જીવામૃત, ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકિય સુવિધાના નિર્માણ માટે રુ.૧.૨૦ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે રાજ્યના ખેડૂતોને જરુરી માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.