અમદાવાદ ખાતે મળેલી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત રાજ્યની બેઠકમાં અમરેલી જિલ્લા સંગઠનની ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોર, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઇ પાનસુરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજ્ય અધ્યક્ષ ભીખાભાઇ પટેલ દ્વારા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને શિક્ષણમંત્રીઓ દ્વારા આ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. બેઠકમાં અમરેલી જિલ્લા સંગઠનના મનિષભાઇ સિધ્ધપુરા, આપાભાઇ માંજરીયા, વિજયભાઇ મકવાણા, મનિષભાઇ જાષી, ચિરાગભાઇ ત્રિવેદી, રોબિનભાઇ પટેલ, રાજુભાઇ જતાપરા, કિશોરભાઇ વરૂ સહિતનાઓ જાડાયા હતા.