ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ૨૯ મે થી ૧૨ જૂન, ૨૦૨૫ દરમિયાન આયોજિત પ્રી-ખરીફ કેમ્પેઈન અંતર્ગત “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો કૃષિ રથ લાઠી અને અમરેલી તાલુકાના ગામોમાં પહોંચ્યો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના ડો. મીનાક્ષીબેન બારીયાના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિકો અને ખેતી અધિકારીઓએ ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી હતી. દેવળીયા ખાતે નાયબ ખેતી નિયામક એમ.જેડ. જીડ અને સરપંચ પ્રતિનિધિ નાથાલાલ સુખડીયાએ પણ ખેડૂતોને
પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્‌વાન કર્યું હતું.