અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલા પ્રમુખસ્વામી નગરમાં મંગલમૂર્તિ મહિલા મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, કુલ ૫૧ બહેનોનું સક્રિય સંગઠન છે જે દર વર્ષે તમામ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરે છે અને નિયમિત સત્સંગ દ્વારા સામાજિક જાગૃતિ ફેલાવે છે.