અમરેલીમાં રહેતા એક પરિણીતાને તેના પતિએ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. નયનાબેન રવજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૩)એ) પતિ રવજીભાઇ મનજીભાઇ રાઠોડ, દીકરો દિવાકરભાઇ રવજીભાઇ રાઠોડ, પુત્રવધૂ રેણુકાબેન દિવાકરભાઇ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને તેના પતિએ લગ્નજીવનના છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન અવારનવાર શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. પતિએ ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ દીકરા અને પુત્રવધૂએ ગાળો આપી ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. પટોળીયા વધુ તપાસ કરી રહ્યા છે.