અમરેલીમાં આવેલી એક હોટલમાં ભરપેટ જમ્યા બાદ હોટલના માલિકે જમવાના પૈસા માંગતા ત્રણ શખ્સોને સારૂ નહી લાગતા હોટલના માલિકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમરેલીમાં આવેલી મોમાઈ હોટલના માલિક જયવીરસિંહ નરેન્દ્રસિંહ સરવૈયાએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની મોમાઈ હોટલમાં યુવરાજસિંહ જસુભા રાઠોડ, હાર્દિક પ્રતાપભાઈ ખુમાણ અને નંદીશ અમરૂભાઈ ભુવા નામના શખ્સો જમવા માટે આવ્યા હતા. જમી લીધા બાદ આ શખ્સો પાસેથી જમવાના પૈસા માંગતા આ શખ્સોને સારૂ લાગ્યુ નહોતું અને ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો આપી, માથાકૂટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી જયવીરસિંહે ત્રણેય ઈસમો સામે અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ મેહુલકુમાર મકવાણા તપાસ ચલાવી રહ્યાં છે.