કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય ડા. સ્વપ્નિલ દેશમુખના માર્ગદર્શન હેઠળ, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ પર વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાગૃતિ અંગે વક્તવ્ય આપ્યા હતા. ડા. વી.બી. ચાવડાએ પર્યાવરણ અને માનવજીવનના સંબંધ તથા પ્રાકૃતિક ખેતી સાથે પર્યાવરણ જાળવણી પર ભાર મૂક્યો હતો. બી.યુ. પરમારે વૃક્ષારોપણ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ, સૌએ એક-એક વૃક્ષ વાવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી હતી.