અમરેલીમાં રહેતા એક વેપારીને અંકલેશ્વરના વેપારીએ ૮ લાખનો ચુનો લગાડ્યો હતો. રોનકભાઈ હીતેષભાઈ ગોલ (ઉ.વ.૨૬)એ હાલ અંકલેશ્વર રહેતા મૂળ ધોરાજીના વિજયભાઈ જયંતીભાઈ ઠુંમર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમની પાસેથી અલગ અલગ સમયે પ્લાસ્ટીકનો રૂ. ૮ લાખની કિંમતનું પાવડર મટીરીયલ્સ મંગાવી પેમેન્ટ નહીં કરીને વિશ્વાસઘાત-છેતરપિંડી આચરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ દિનેશભાઈ વિનુભાઈ સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.