અમરેલીના ફતેપુરમાં અહીંથી ચાલવું નહીં કહી ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા. બનાવ અંગે એકતાબેન ચિરાગભાઈ થળેસાએ રામજીભાઇ હિરાભાઇ જાદવ તથા અલ્પેશભાઇ રામજીભાઇ થળેસા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદ પોતાના ઘર તરફ જતા તે વખતે આરોપીએ અહીંથી ચાલવું નહીં તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળો આપી લાકડીનો એક ઘા સાહેદને માર્યો હતો. ઉપરાંત આડેધડ ઢીકાપાટુનો માર મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એચ. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.