અમરેલીના નાના માચીયાળા ગામે મનદુઃખમાં ડેલામાં ફોરવ્હીલ ભટકાવવામાં આવી હતી. બનાવ અંગે રીટાબેન બટુકભાઈ ભાદાણી (ઉ.વ.૩૧)એ નઝુભાઈ માણસુરભાઈ આલાણી તથા અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને આરોપી સાથે અગાઉ ખુલ્લા પ્લોટમાં ખાતર નાખવા મુદ્દે ફરિયાદ થઈ હતી. જેના મનદુઃખમાં આરોપીએ તેના ડેલામાં ફોરવ્હીલ ભટકાવી હતી, જેથી રૂપિયા ૫૦૦૦નું નુકસાન થયું હતું.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.