અમરેલીના તરવડા ગામે ઝેરી દવા પીવાથી યુવતિનું મોત થયું હતું. બનાવ સંદર્ભે રવજીભાઈ પ્રેમજીભાઈ રાઠોડે જાહેર કર્યા મુજબ, અનિતાબેન રવજીભાઈ રાઠોડે (ઉ.વ.૨૮)અગમ્ય કારણોસર પોતાની મેળે ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે કે ડામોર વધુ તપાસ કરી રહ્યા છે. બીજા એક બનાવમાં વડીયાના અરજણસુખ ગામે સીમમાં રહેતા એક પરપ્રાંતીય યુવકને તેના વતનમાં બોલાચાલી થઈ હતી. જેથી ગુમસુમ રહેતા હતા. આ કારણે મનમાં લાગી આવતાં ઝેર દવા પીતાં મરણ પામ્યો હતો.