અમરેલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાળીયા ખાતે ‘સિંદૂર વન’ નું કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ, અમરેલી તાલુકા ભાજપ પરિવાર અને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ભારતીય સૈન્યના સન્માનમાં આ ‘સિંદૂર વન’ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે અમરેલીની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ, આપણા દેશના વીર સૈનિકોને સલામી અને વંદન પાઠવી, તેમની શૌર્યગાથા અને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા.