ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાનનો અકસ્માત થયો હતો. જેમાં બેઠેલા ૨૪૧ મુસાફરોએ પોતાની જિંદગી ગુમાવી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક પણ મૃતદેહની ઓળખ થઈ શકતી ન હતી તેના માટે તેના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા તમામ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ કર્યા બાદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૂળ અમરેલીના અને હાલ અમદાવાદ રહેતા બાબુભાઈ હિરપરા અને વિમળાબેન હિરપરાના ડીએનએ મેચ થતાં તેમના અંતિમ સંસ્કાર અમદાવાદ નિકોલ ખાતે કરવામાં આવ્યા હતા.