અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનાના દિવંગત આત્માઓની શાંતિ માટે અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી માધવ પાર્ક સોસાયટી સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી સહિત તમામ આત્માઓને ભગવાન શ્રીરામ પોતાના દરબારમાં વાસ કરાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. માધવ પાર્ક સોસાયટીના પ્રમુખ સુરેશભાઈ સોલંકી, કિશોરભાઈ ભુત, અશોકભાઈ ધાનાણી સહિત આજુબાજુની સોસાયટીના રહીશો, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ ડો.જી.જે. ગજેરા, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકારી અધ્યક્ષ મજબૂત સિંહ બસીયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા અને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સેવા સંઘ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.