અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં શનિવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં જાણીતા બિલ્ડર હિંમત રૂદાણીની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. તેમનો મૃતદેહ વિરાટનગર પુલ નીચે તેમની જ મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો હતો, જેના પર ૧૨ થી ૧૫ ગંભીર ઈજાના નિશાન હતા.છેલ્લા ૧૩ દિવસમાં હત્યાની આ ત્રીજી હૃદયદ્રાવક ઘટનાએ લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. શનિવારે મોડી રાત્રે અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં બિલ્ડર હિંમત રૂદાણીની ક્રૂર હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હિંમત રૂદાણીનો મૃતદેહ વિરાટનગર બ્રિજ નીચે પાર્ક કરેલી તેમની મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો હતો.મળતી માહિતી મુજબ, હિંમત રૂદાણીની હત્યા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને કરવામાં આવી હતી. શરીર પર ઘણા ઈજાના નિશાન મળી આવ્યા છે, જે હત્યાની ક્રૂરતા દર્શાવે છે. ઘટનાની માહિતી મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરી છે.પોલીસને શંકા છે કે આ ઘટના વિરાટનગર પુલ નીચે બની હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જ્યારે તેઓએ કારની તપાસ કરી ત્યારે હિંમત રૂદાણીનો મૃતદેહ લોહીથી લથપથ મળી આવ્યો.








































