અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ આજે અમરેલીના જાફરાબાદ, સાવરકુંડલા અને ધારી તાલુકામાં કમોસમી વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આજે બપોર બાદ જાફરાબાદ પંથકમાં તથા ધારીના દલખાણીયા, કાંગસા, ચાચઇ, સાવરકુંડલાના હાથસણી, ધજડી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદના પગલે ઘઉં અને ચણાના પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે ત્યારે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.