ચાહકો ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝનના શેડ્યૂલની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. બીસીસીઆઈએ પ્રથમ ૨૦ મેચનો સમયપત્રક જાહેર કર્યો છે, જેમાં પ્રથમ મેચ ૨૮ માર્ચે રમાશે. આ સિઝનનો ઓપનિંગ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેનડીગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. જાકે, આ મેચ કર્ણાટક સરકારને નિષ્ણાત સમિતિના અહેવાલના આધારે મેચનું આયોજન કરવાની પરવાનગી મળ્યા પછી જ યોજાશે. વધુમાં, મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, લગભગ બધી ફ્રેન્ચાઇઝીઓ માટે સૌથી મોટી ચિંતા એ છે કે સીઝન શરૂ થાય તે પહેલાં વિદેશી ખેલાડીઓ તેમની ટીમમાં જાડાય તેવી શક્્યતા છે.
૨૦૨૬ ટી ૨૦ વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ ટીમોની યાત્રા વહેલા સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે તેમના ઘરે પાછા ફરવામાં વિલંબ થયો હતો. ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓનું પ્રસ્થાન નોંધપાત્ર રીતે વિલંબિત થયું હતું. તેમને સમયસર ભારત પાછા લાવવાનું મુશ્કેલ બનશે. વધુમાં, મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે વિમાન ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ચીફ એકઝીકયુંટિવ ઓફિસર કાસી વિશ્વનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સીઝનની પહેલી મેચ પહેલા દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈનડીઝના ખેલાડીઓ ટીમમાં જાડાઈ જશે.
બીસીસીઆઇ દ્વારા જાહેર કરાયેલ શરૂઆતની ૨૦ મેચોનું શેડ્યૂલ ૧૦ સ્થળોએ રમાશે. આમાં બેંગલુરુ, મુંબઈ, ગુવાહાટી, ન્યુ ચંદીગઢ, લખનૌ, કોલકાતા, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ અને હૈદરાબાદના સ્ટેડિયમનો સમાવેશ થાય છે.બીસીસીઆઇએ એ પણ માહિતી આપી હતી કે આરસીબી તેના પાંચ હોમ મેચ બેંગલુરુમાં અને બે રાયપુર સ્ટેડિયમમાં રમશે. વધુમાં, રાજસ્થાન રોયલ્સ ગુવાહાટીમાં ત્રણ અને જયપુરમાં ચાર મેચ રમશે. શેડ્યૂલના પહેલા ૧૬ દિવસમાં ચાર ડબલહેડર્સનો સમાવેશ થશે.












































