આઇપીએલ ૨૦૨૬ ૨૮ માર્ચે શરૂ થઈ શકે છે, ફાઇનલ મેચ ૩૧ મેના રોજ રમાશે તેવી અપેક્ષા છે.અહેવાલ મુજબ,આઇપીએલ એપેક્સ કૌઉન્સલનની બેઠક આવતા અઠવાડિયે મળવાની છે. આ સમય દરમિયાન,આઇપીએલની ૧૯મી આવૃત્તિની તારીખો અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
આઇપીએલએ હરાજી પહેલા તમામ ૧૦ ફ્રેન્ચાઇઝીઓને જાણ કરી હતી કે ૧૯મી આવૃત્તિ ૨૬ માર્ચથી શરૂ થશે. જાકે, હવે વિધાનસભા ચૂંટણીને કારણે તારીખો બદલાઈ શકે છે. હકીકતમાં, ત્રણ રાજ્યો જ્યાં આઇપીએલ મેચો રમવાની છે ત્યાં વિધાનસભા ચૂંટણીની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આમાં આસામ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. કોલકાતા (પશ્ચિમ બંગાળમાં) અને ચેન્નાઈ (તમિલનાડુમાં) અનુક્રમે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ છે, જ્યારે ગુવાહાટી રાજસ્થાન રોયલ્સનું બીજું સ્થળ છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે આઇપીએલની એપેક્સ કૌઉન્સલનની બેઠક આવતા અઠવાડિયે મળવાની છે. આ ટુર્નામેન્ટના શેડ્યૂલ પર ચર્ચા કરશે. ૨૦૦૮માં આઇપીએલની શરૂઆત થઈ ત્યારથી, દેશમાં ચાર વખત (૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪) સામાન્ય ચૂંટણીઓ યોજાઈ છે. જાકે, જા કોઈ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હોય, તો સમયપત્રક બે ભાગમાં જાહેર કરવામાં આવ્યું છે. એપેક્સ કૌઉન્સલન  આ વખતે બે ભાગમાં સમયપત્રક જાહેર કરે કે ચૂંટણી પંચ પ્રથમ ત્રણ રાજ્યોની ચૂંટણી તારીખો જાહેર કરે તેની રાહ જુએ તે નક્કી કરે તેવી અપેક્ષા છે.
આઇપીએલ એપેક્સ કૌન્સલન ની બેઠકમાં ટુર્નામેન્ટની પહેલી મેચ ક્્યાં રમાશે તેની પણ ચર્ચા થવાની અપેક્ષા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ આઇપીએલ ૨૦૨૫નો ખિતાબ જીત્યો હતો. નિયમો અનુસાર, પહેલી મેચ ડિફેન્દીંગ  ચેમ્પ્યન ના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. જાકે, ગયા વર્ષે જૂનમાં, બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં ૧૧ ચાહકોના મોત થયા હતા. આ પછી, ગ્રાઉન્ડ પરની બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આરસીબી રાજ્ય ક્રિકેટ એસોસિએશન સાથે ચર્ચા કરી રહ્યું છે કે શું તે તેના સાત ઘરેલું મેચ એક જ સ્થળે રમવા કે તેમને સ્થાનાંતરિત કરવા. આરસીબીએ નવી મુંબઈ, રાયપુર અને પુણે સહિત અન્ય ઘણા સ્થળોને શોર્ટલિસ્ટ કર્યા છે.