ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસની સત્તાવાર મુલાકાતે જાપાન પહોંચ્યા છે. રાજધાની ટોક્્યોમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. જાપાનમાં આગમન પર મુખ્યમંત્રીએ કહ્યું, “ભગવાન શ્રી રામની પવિત્ર ભૂમિ, આદિત્ય, ઉગતા સૂર્યની નવીન ભૂમિનું સ્વાગત કરે છે.” તેમના સંદેશને ભારત-જાપાન સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવાના પ્રતીક તરીકે જાવામાં આવી રહ્યો છે.
ટોક્્યોમાં, મુખ્યમંત્રીએ મિત્સુઇ ટ્રાન્સપોર્ટ કંપની લિમિટેડના સિનિયર મેનેજિંગ એકઝીકયુંટિવ ઓફિસર શિગેકી તાનાબે સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન, ઉત્તર પ્રદેશમાં લોજિસતીક્સ પાર્ક, વેરહાઉસિંગ અને મલટીમોડલ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં રોકાણની તકો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કંપનીને ઉત્તર પ્રદેશમાં વિકસિત થઈ રહેલા મેડિકલ ડિવાઇસ પાર્કમાં મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રોકાણકારોને અનુકૂળ નીતિઓ, સુધારેલ કનેક્ટિવિટી અને મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પ્રદાન કરી રહી છે.
મીટિંગ દરમિયાન, ઉત્તર પ્રદેશમાં નવીનીકરણીય ઉર્જા, માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર જેવા ઉભરતા ક્ષેત્રોમાં પરિવર્તનશીલ રોકાણની તકો પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કંપનીને રાજ્યમાં રોકાણ કરવા અને વૃદ્ધિ, નવીનતા અને વૈÂશ્વક ભાગીદારીને આગળ વધારવા આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જાપાની કંપનીઓ દ્વારા વધતા રોકાણથી ભારત-જાપાન ઔદ્યોગિક સહયોગ વધુ મજબૂત બનશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાત રાજ્યમાં રોજગાર સર્જન, ટેકનોલોજીકલ પ્રગતિ અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. જાપાનની તેમની મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રી અન્ય ઉદ્યોગ જૂથો અને રોકાણકારો સાથે પણ બેઠકો કરવાના છે, જેના કારણે ઉત્તર પ્રદેશમાં મોટા રોકાણ કરાર થવાની અપેક્ષા છે.









































