વડોદરામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે.મહેશ માલી નામના વ્યકિત એ વડોદરાના કરોડિયામાં ખેતીની જમીન ખરીદી હતી, જેને એનએ વગર પ્લોટ માં બનાવી વેચી દેવામાં આવી હતી. અને સૌથી મોટી વાત એ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ નિયમોનો ભંગ કરીને ૧૬ ઘરો અને છ ખુલ્લા પ્લોટનું મૂલ્યાંકન કર્યું હતું અને ગટર વ્યવસ્થા પણ પૂરી પાડી હતી.
જાકે ભાજપના વોર્ડ નંબર ૮ ના મહામંત્રી વિજય ચાવડાનું આ કૌભાંડમાં નામ બહાર આવ્યું છે.અહેવાલો અનુસાર, દરેક પ્લોટ પર આકારણી માટે ૧૦,૦૦૦ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.જાકે, ભંડોળના વિતરણને લઈને મહામંત્રી અને એક કાર્યકર વચ્ચેના વિવાદને કારણે મામલો ધારાસભ્ય કેયૂર રોકડિયા સુધી પહોંચ્યો હતો.કેયૂર રોકડિયાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓને તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. જેની તપાસમાં બહાર આવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને ખોટા મૂલ્યાંકન કર્યા હતા, જેના પરિણામે તમામ મૂલ્યાંકન રદ કરવામાં આવ્યા હતા. એટલે જેમણે પ્લોટ ખરીદ્યા હતા તેમના પૈસા હવે અટવાઈ ગયા છે. જેથી સામાજિક કાર્યકર્તાએ અધિકારી અને ભાજપ નેતા સામે કાર્યવાહીની માંગ કરી છે.
આ સમગ્ર આકારણી કૌભાંડમાં ફસાયા બાદ, ભાજપના મહામંત્રી વિજય ચાવડાએ હવે પોતાનો બચાવ કર્યો છે.તેમણે કહ્યું કે તેમણે ફક્ત જમીન પૂરી પાડી હતી, આકારણીમાં તેમની કોઈ ભૂમિકા નહોતી. તેમનું નામ તેમને બદનામ કરવાના ષડયંત્રના ભાગ રૂપે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે જણાવ્યું હતું કે ભાજપે વડોદરાને કૌભાંડોનું શહેર બનાવી દીધું છે. મહામંત્રીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જાઈએ.
હંમેશની જેમ,અધિકારીઓ સમગ્ર કૌભાંડનો બચાવ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે સ્લમ એરિયા પોલિસી હેઠળ કામચલાઉ આકારણી કરવામાં આવી હતી. વિરોધને કારણે આકારણી રદ કરવા અને પૈસા સ્વીકારવાના આરોપો ખોટા છે.
ભંડોળના વિતરણને લઈને ભાજપમાં આંતરિક જૂથવાદ અને સંઘર્ષને કારણે આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વધુમાં, બિલ્ડરો દ્વારા ગટર લાઇન નાખવામાં આવી છે, પરંતુ તપાસના દોઢ મહિના પછી પણ, કોઈપણ અધિકારી કે કર્મચારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓના ઇરાદા પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે.











































