સુપ્રીમ કોર્ટના સીજેઆઇ બી આર ગવઈએ નિવૃત્તિ પહેલા કડક વલણ અપનાવ્યું છે. તેલંગાણા બીઆરએસ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસની સુનાવણી કરતી વખતે, ગવઈએ કહ્યું કે સ્પીકરે પોતે નક્કી કરવું જાઈએ કે તેઓ નવું વર્ષ ક્્યાં ઉજવવા માંગે છે. ગવઈએ કહ્યું કે ગેરલાયક ઠેરવવામાં આવેલા ધારાસભ્યો પર નિર્ણય આવતા અઠવાડિયામાં લેવો જાઈએ, નહીં તો સ્પીકરે તિરસ્કાર માટે તૈયાર રહેવું જાઈએ. આ ટિપ્પણી સાથે, સુપ્રીમ કોર્ટે સ્પીકરને તિરસ્કાર નોટિસ જારી કરી. સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં વિલંબને ઘોર તિરસ્કાર ગણાવ્યો. ઝ્રત્નૈં ગવઈનો કાર્યકાળ ફક્ત ૨૪ નવેમ્બર સુધીનો છે.સીજેઆઇએ કહ્યું, “અમે પહેલાથી જ એવું માન્યું છે કે સ્પીકરને કોઈ બંધારણીય રક્ષણ નથી.” બીઆરએસ નેતા કેટીઆર દ્વારા દાખલ કરાયેલી તિરસ્કાર અરજીની સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટીસ બીઆર ગવઈએ આ સનસનાટીભરી ટિપ્પણી કરી.કેટીઆરએ ત્રણ મહિનાની સમયમર્યાદા પૂરી થયા પછી સ્પીકર સામે તિરસ્કાર અરજી દાખલ કરી.બીઆરએસ ધારાસભ્યો કોંગ્રેસમાં જાડાયા ત્યારથી તેમના સભ્યપદ અંગેનો નિર્ણય સ્પીકર પાસે પેન્ડીંગ છે. સ્પીકરની ઓફિસે સમયમર્યાદા લંબાવવાની માંગ કરતી બીજી અરજી દાખલ કરી. મુખ્ય ન્યાયાધીશની બેન્ચે બંને અરજીઓ એકસાથે સાંભળી. નોંધનીય છે કે ગયા અઠવાડિયે, કોલકાતા હાઇકોર્ટે ભાજપના ધારાસભ્ય મુકુલ રોયને ટીએમસીમાં જાડાવા બદલ ગેરલાયક ઠેરવ્યા હતા.૩૧ જુલાઈના રોજ, મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે વિધાનસભાના સ્પીકરને ભારત રાષ્ટ્ર સમિતિના ૧૦ ધારાસભ્યોની ગેરલાયકાતના કેસમાં ત્રણ મહિનામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે હવે તેલંગાણા વિધાનસભાના અધ્યક્ષને ૧૦ બીઆરએસ ધારાસભ્યો સામેની ગેરલાયકાત અરજીઓનો નિર્ણય લેવાના નિર્દેશનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ અવમાનના નોટિસ ફટકારી છે. ગદ્દમ પ્રસાદ કુમાર તેલંગાણા વિધાનસભાના અધ્યક્ષ છે. તેમણે હજુ સુધી સુપ્રીમ કોર્ટની નોટિસનો જવાબ આપ્યો નથી. તેઓ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ સ્પીકર બન્યા હતા.










































