ઊના નેશનલ હાઈવે બાયપાસ બનવાથી શહેરના વાહનવ્યવહારમાં હાશકારો થયો છે. શહેરની બહારથી આવતા લોકોને કેટલાક જોખમી વળાંકોથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને લામધાર પાટિયા પાસે આવેલ વળાંક ખૂબ જ જોખમભર્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. રાત્રિ સમયે અથવા અજાણ્યા વાહનચાલકો માટે અહીંની અવાવરૂં જગ્યાઓ જોખમ ઉભું કરી શકે છે. જો ઉના તરફ જતા રસ્તા પર લોખંડની ગ્રિલ અથવા સુરક્ષા માટે અવરોધક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, તો આ વિસ્તારમાં અકસ્માતની શક્યતાઓ ઘટી શકે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો તરફથી તંત્ર સમક્ષ દરખાસ્ત રજૂઆત કરવામાં આવી છે કે આ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવે. સલામતી માટે ચિહ્નો અને લાઈટિંગની પણ જરૂરિયાત જણાઈ રહી છે. લોકો તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી રહ્યા છે.