રાજુલા શહેરના જાણીતા હોટેલ ગ્રુપ-કોહિનૂરના માલિક દિલુભાઈ વરુ દ્વારા ભાવનગર-સોમનાથ હાઇવે પર શિવશક્તિ હોટલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ અંતર્ગત નાગેશ્રી ખાતે સોમનાથ હાઇવે પર પગપાળા જતા યાત્રિકોને રહેવા તથા જમવા માટે નિઃશુલ્ક વ્યવસ્થા શિવશક્તિ હોટેલ ખાતે કરવામાં આવેલ છે. આ સાથે દિલુભાઈ અમરૂભાઈના પિતૃના મોક્ષાર્થે નાગેશ્રી ગામ માટે પંચાયત કચેરીને શાંતિ રથ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. નાગેશ્રી ગામના અંદાજિત ૪૯૦ વિધવા બહેનોને દિલુભાઈ વરુ પરિવાર દ્વારા સાડી આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરના ૧૧.૩૦ કલાકે મોમાઈ વડ મંદિરે જયદીપભાઈ ઘનશ્યામભાઈ વરુના કર નિમિત્તે મહાપ્રસાદ યોજાશે. વિશ્રામ ગૃહ અને નિઃશુલ્ક ભોજનાલયનું ઉદ્‌ઘાટન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાંસદ ભરતભાઈ સુતરીયા, પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને ડો. બી.બી વરુ ટ્રસ્ટી તુલસીશ્યામ મંદિરના હસ્તે રાખવામાં આવેલ છે. શિવશક્તિ હોટેલનું ઉદ્‌ઘાટન ગૌતમભાઈ વરુ ઉપપ્રમુખ માર્કેટિંગ યાર્ડ ટીંબી અને નરેન્દ્રભાઈ વરુ સરપંચ નાગેશ્રી તેમજ ગોલણબાપુ નાગેશ્રી તેમજ ચાપરાજ બાપુ, કાઠી સમાજ અગ્રણી મીઠાપુરના હસ્તે રાખવામાં આવેલ છે. શાંતિ રથનું લોકાર્પણ ભક્તિરામ બાપુ માનવ મંદિર આશ્રમ સાવરકુંડલા, અમરદાસ બાપુ નિંગાળા, બ્રહ્મસમાજના પ્રમુખ ભાનુદાદા રાજગોર અને સેફાદાદા જોશી બ્રહ્મસમાજ અગ્રણીના હસ્તે રાખવામાં આવેલ છે.