અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ઉત્સાહ ચરમસીમા પર છે, ત્યારે લાઠી-બાબરા-દામનગરના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સઘન પ્રયાસો ફળ્યા છે. તેમના અથાગ પ્રયત્નોના પરિણામે લાઠી અને દામનગર પંથકની ૬ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં સ્થાનિકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયાસોથી જે ૬ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે, તેમાં ધામેલ, ધામેલપરા, ભટ્ટવદર, પ્રતાપગઢ, નારણનગર મેમદા અને ધ્રુફણીયાનો સમાવેશ થાય છે. આ તમામ ગ્રામ પંચાયતમાં સરપંચ પણ બિનહરીફ જાહેર થયા છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ બિનહરીફ ચૂંટાયેલા તમામ સરપંચો તેમજ ગ્રામજનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. ૬ ગ્રામ પંચાયત સમરસ થવાથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે.
બિનહરીફ વરણી પામેલા સરપંચોના નામ
ધામેલઃ મંજુબેન દેવજીભાઈ બાહોપીયા
ધામેલપરાઃ આશાબેન દીપકભાઈ ગોગદાણી
ભટ્ટવદરઃ વનીતાબેન અશ્વિનભાઈ ગોળકીયા
પ્રતાપગઢઃ રસિકભાઈ વલ્લભભાઈ રામાણી
નારણનગર મેમદાઃ મનુભાઈ કાનજીભાઈ પરમાર
ધ્રુફણીયાઃ અસ્મિતાબેન મહેશભાઈ જાજડીયા