સ્ટાર વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ આરસીબી ટીમને ખિતાબ જીતવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે આઇપીએલ સમાપ્ત થયા પછી, તે વિદર્ભ પ્રો ટી ૨૦ લીગમાં રમતા જાવા મળશે. જ્યાં તે એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટર ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે સંજય રામાસ્વામી આ ટીમના ઉપ-કપ્તાન રહેશે. જીતેશ પાસે પહેલાથી જ કેપ્ટનશિપનો અનુભવ છે અને તે આઇપીએલમાં પંજાબ કિંગ્સ અને આરસીબીનું નેતૃત્વ કરી ચૂક્યો છે.
જિતેશ શર્માની ટીમ ૬ જૂને એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટર લીગમાં પોતાની પહેલી મેચ ભારત રેન્જર્સ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ૨ઃ૪૫ વાગ્યે શરૂ થશે. જ્યારે વિદર્ભ પ્રો ટી ૨૦ લીગની શરૂઆતની મેચમાં, પગરિયા સ્ટ્રાઈકર્સનો મુકાબલો નાગપુર ટાઇટન્સ સામે થશે.
જિતેશ શર્મા ખૂબ જ લયમાં દેખાઈ રહ્યો છે અને આઇપીએલ ૨૦૨૫માં તેણે સારું પ્રદર્શન કર્યું છે. તેણે ૧૫ આઇપીએલ મેચમાં ૨૬૧ રન બનાવ્યા હતા. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ૩૩ બોલમાં ૮૫ રન બનાવ્યા હતા, જેમાં ૮ ચોગ્ગા અને ૬ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના કારણે જ ટીમ મેચ જીતી શકી હતી. આ ઉપરાંત, જીતેશે ફાઇનલમાં ૧૦ બોલમાં ૨૪ રન પણ બનાવ્યા હતા. તેણે મહત્વપૂર્ણ ક્ષણોમાં ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.
એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરના માલિક આનંદ જયસ્વાલે કહ્યું કે અમને જીતેશ શર્મા જેવા નેતાઓને ટીમનું માર્ગદર્શન આપતા જોઈને ગર્વ થાય છે અને અમે પ્રેરણા, સ્પર્ધા અને નવા હીરોથી ભરેલી સીઝનની રાહ જોઈ રહ્યા છીએ. વિદર્ભ પ્રો ટી ૨૦ લીગ જીયો સિનેમા પર લાઈવ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ રહેશે. ચાહકો ડીડી સ્પોર્ટ્સ પર મેચોનું લાઈવ ટેલિકાસ્ટ પણ જાઈ શકે છે.
વિદર્ભ પ્રો ટી ૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટર ટીમઃ
જિતેશ શર્મા, આર સંજય, આર્યન મેશ્રામ, આદ્યન દાગા, આદ્યન રાઉથમ, આકાશ કોમડે, વેદાંત દિઘાડે, ગૌરવ ધોબલે, અંકુશ તમ્મીવાર, આદિત્ય ખિલોટે, આર્ય દુરુગકર, પ્રથમ મહેશ્વરી, પ્રફુલ હિંગે, અનમય જયસ્વાલ, સાર્થક ધબડગાંવકર, સન્મેષ દેશમુખ