સાઉથ સુપરસ્ટાર કમલ હાસન પોતાના નિવેદનને લઈને વિવાદોમાં ફસાયેલા દેખાય છે. અભિનેતાની ફિલ્મ ઠગ લાઈફ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ દરમિયાન, તેઓ કન્નડ ભાષા વિશે વિવાદાસ્પદ નિવેદન આપીને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાઈકોર્ટ દ્વારા ઠપકો આપ્યા બાદ પણ કમલ હાસને માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. તે જ સમયે, કર્ણાટકમાં તેમની ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં અને આ ફિલ્મ હાલ કર્ણાટકમાં રિલીઝ થશે નહીં. કન્નડ હાઈકોર્ટે કેસ ૧૦ જૂન સુધી મુલતવી રાખ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આગામી એક અઠવાડિયા સુધી આ ફિલ્મ કર્ણાટકમાં રિલીઝ થશે નહીં. પરંતુ તે દેશના અન્ય રાજ્યો અને સમગ્ર વિશ્વમાં રિલીઝ થશે. આ એક પેન ઈન્ડીયા ફિલ્મ છે.
કેએફસીસીના વિરોધ અને ધમકી બાદ, કમલ હાસને કર્ણાટક હાઈકોર્ટનો દરવાજા ખટખટાવ્યો હતો અને તેમણે અપીલ કરી હતી કે તેમની ફિલ્મના રિલીઝ દરમિયાન સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે. પરંતુ તેનાથી વિપરીત કોર્ટે કમલ હાસનને કન્નડ ભાષા અંગેના તેમના નિવેદન બદલ માફી માંગવાની સલાહ આપી હતી. પરંતુ કમલ હાસને તેમના નવા નિવેદનમાં માફી માંગી નથી. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની ફિલ્મ કર્ણાટકમાં રિલીઝ થશે નહીં. ચાલો જાણીએ કે કમલ હાસને તેમના નિવેદનમાં શું કહ્યું.
દક્ષિણના સુપરસ્ટાર કમલ હાસને ફિલ્મ ઠગ લાઈફના પ્રમોશન દરમિયાન ઓડિયો લોન્ચ ઇવેન્ટમાં કહ્યું હતું કે કન્નડ ભાષા તમિલમાંથી ઉદ્ભવી છે. ત્યારથી, તેમનો જારદાર વિરોધ થઈ રહ્યો છે. હવે કમલ હાસને મંગળવારે કેએફસીસીને લખેલા પત્રમાં પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે- “મને દુઃખ છે કે ઠગ લાઈફ ઓડિયો લોન્ચ પરના મારા નિવેદનને ગેરસમજ કરવામાં આવ્યું અને સંદર્ભની બહાર રજૂ કરવામાં આવ્યું. જ્યારે આ નિવેદન દિગ્ગજ ડા. રાજકુમારના પરિવાર, ખાસ કરીને શિવ રાજકુમાર પ્રત્યે સાચા પ્રેમથી કહેવામાં આવ્યું હતું.
કમલે આગળ કહ્યું- “મારો હેતુ ફક્ત એ કહેવાનો હતો કે આપણે બધા એક છીએ અને એક જ (ભાષાકીય) પરિવારના છીએ. મારો મતલબ કન્નડ ભાષાને ઓછો આંકવાનો નહોતો. કન્નડ ભાષાના સમૃદ્ધ વારસા પર કોઈ વિવાદ કે ચર્ચા નથી. તેમણે કહ્યું કે તેઓ કર્ણાટકના લોકો પ્રત્યે ઊંડા આદર સાથે આ પત્ર લખી રહ્યા છે.
ઠગ લાઈફ વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, આ ફિલ્મનું બજેટ ૩૦૦ કરોડ રૂપિયા છે. જ્યારે આ ફિલ્મ ૫ જૂન ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં કમલ હાસન મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત, ફિલ્મમાં તેમની સામે ત્રિશા કૃષ્ણન જાવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મણિરત્નમ દ્વારા કરવામાં આવ્યું છે. કમલ હાસન તેમની છેલ્લી ફિલ્મથી ખાસ કંઈ કરી શક્્યા નહીં પરંતુ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર ચોક્કસ કમબેક કરશે.