ગુજરાત સરકાર રાજ્યના વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં સનદી અધિકારીઓની સંખ્યા વધારવાની કેન્દ્ર સમક્ષ દરખાસ્ત મોકલવા જઈ રહી છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને હાલમાં રાજ્ય માટે ૩૧૩ જગ્યાઓની સામે ૩૪૩ અધિકારીઓ મળી રહે તેવી માગણી કેન્દ્ર સરકાર સમક્ષ મુકવાની છે.
ગુજરાતમાં હાલમાં ૨.૪૦ લાખ લોકો દીઠ માત્ર એક આઈએએસ અધિકારી ઉપલબ્ધ છે. રાજ્યના ૭.૫ કરોડની વસ્તી સાથે વર્તમાન ૩૧૩ આઈએએસ જગ્યા મુજબ આફિસર્સની ખામી સ્પષ્ટ જાવા મળે છે. દેશના કુલ ૬,૮૫૮ આઈએએસ અધિકારીઓના સંદર્ભમાં, ગુજરાતને ફક્ત ૫ ટકા જેટલી જ મંજૂર જગ્યા મળેલી છે, જે વહીવટી વ્યવસ્થાના વ્યાપક અભાવને દર્શાવે છે.
ગુજરાતમાં મંજૂર ૩૧૩ જગ્યાઓમાંથી ૨૫૭ જગ્યા ભરાયેલી છે અને ૫૬ જગ્યા ખાલી છે. આ ખાલી જગ્યાઓના કારણે વહીવટમાં સતત ખામી અનુભવાઈ રહી છે. છેલ્લા સમયમાં રાજ્યના કેટલાક સનદી અધિકારીઓને કેન્દ્રમાં તાત્કાલિક સ્થાનાંતરિત કરાતા, ગુજરાત સરકારની સ્થિતિ વધુજ કમજાર બની છે. તાજેતરમાં મનીશા ચંદ્રા, એસ. છાકછૂક, કે.કે. નિરાલા, એસ.એસ. ગુલાટી સહિતના અધિકારીઓ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં નિમણૂક પામ્યા છે. તેમજ વિશાલ ગુપ્તાની કેન્દ્રિય મંત્રીના પીએસ તરીકે નિમણૂક થઈ હોવાથી રાજ્યમાં વહીવટી કામગીરી ઉપર સીધી અસર થઇ છે.
આંતરિક ચોકસાઈ મુજબ, વર્ષ ૨૦૨૫માં પાંચ સિનિયર આઈએએસ અધિકારીઓ નિવૃત્ત થવાના છે. મુખ્ય સચિવ પંકજ જાશી ઓક્ટોબર ૨૦૨૫માં નિવૃત્ત થશે. અન્ય કમલ દાયાણી, જે.પી.ગુપ્તા, સુનયના તોમર, એસ.જે.હૈદર પણ વય-નિવૃત્ત થવાના છે. સાથે, સિલેકશન ગ્રેડના ચાર અધિકારીઓ અગાઉ જ નિવૃત્ત થઈ ચૂક્યા છે. આગામી વર્ષે ૧૦ વધુ અધિકારીઓઃ એ.એમ.શર્મા, વી.જે. વ્યાસ, બી.કે. પંડ્યા, ડી.જે. જાડેજા, એ.બી. પટેલ, ડી.એમ. સોલંકી, બી.કે. વ્યાસ, એસ.પી. ભગોરા, એ.એમ. ડિંડોર અને ડી.કે. બારિયા પણ નિવૃત્ત થવાના છે. આ નિવૃત્તિઓ સાથે રાજ્યમાં વહીવટ માટે જરૂરી માનવ સંસાધનનો વ્યાપક અભાવ ઊભો થવાનો છે.
ગુજરાત સરકારનું માનવું છે કે, રાજ્યના ઝડપી વિકાસ, વધતી વસ્તી અને આવતીકાલની સમસ્યાઓને પહોંચી વળવા વધુ આઈએએસ અધિકારીઓની જરૂર છે. ૩૧૩ જગ્યાઓને વધારીને ૩૪૩ કરવાની દરખાસ્ત મોકલવાનું પગલું આ દિશામાં સશક્ત પગલુ છે.
રાજ્ય સરકારનું મંતવ્ય છે કે, પ્લાનિંગ, અમલ અને પ્રતિસાદ ક્ષમતા મજબૂત થાય અને જિલ્લા-તાલુકા સ્તરે વહીવટી કાર્યક્ષમતા સુધરે, એ માટે અધિકારીઓની સંખ્યા વધારવી જરૂરી છે. આવતીકાલે મંજૂરી મળ્યા બાદ આ ખાલી જગ્યા ઝડપી ભરાઈ શકે અને વહીવટ વ્યવસ્થામાં સ્થિરતા અને સુધારો આવી શકે.