ગુજરાત નજીક મહારાષ્ટ્ર સુધી આવીને નૈઋત્યનું ચોમાસું લગભગ ૧૫ દિવસથી નિÂષ્ક્રય થયું છે, ત્યારે હવે ચોમાસું ક્યારે સક્રિય થઈ આગળ વધશે અને વરસાદ પડતાં અસહ્ય બફારામાંથી રાહત મળશે, તે અંગે સૌ કોઈ રાહ જાઈ રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં તેમણે ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે-સાથે કઈ-કઈ તારીખોમાં, ક્યાં-ક્યાં ભારે વરસાદ ખાબકી શકે છે, તેની પણ આગાહી કરી છે.
મોન્સૂન બ્રેકની સ્થિતિ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી ૨૪ કલાકમાં ચોમાસું સક્રિય થશે. ૧૩મી જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. તારીખ ૧૪ અને ૧૫માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ ૧૮થી ૨૪ માં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે.
તેમના જણાવ્યા અનુસાર, કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. કારણ કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમને કારણે પૂર્વીય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, વડોદરા, આણંદ, અમદાવાદ,ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. હળવદ, સુરેન્દ્રનગર, થાનના ભાગોમાં હળવા વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે.
નોંધનીય છે કે, ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ તાપમાન ૪૦ ડિગ્રી સેÂલ્સયસ પહોંચી ગયું છે. ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે લોકો હવે વરસાદની રાહ જાઈ રહ્યા છે. ગઈકાલે બુધવારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. આ સાથે ૧૪થી ૧૬ જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ૩૦-૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, આજે ૧૨મી તારીખના રોજ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.