અમદાવાદની ભીષણ વિમાન દુર્ઘટના બાદ હવાઈ મુસાફરીની સલામતીને લઈને સવાલ ઉઠી રહ્યા છે
અમદાવાદની ભયાનક વિમાન દુર્ઘટના બાદ હવાઈ મુસાફરીની સલામતીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. ઍર ઈન્ડિયા બોઈંગ વિમાન છૈં-૧૭૧ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપોર્ટથી ઉડાન ભરી અને માત્ર ૫ મિનિટમાં જ ક્રેશ થઈ અગન ગોળો બની ગયુ. આ દુર્ઘટના બાદથી બોઈંગ વિમાન ફરી એકવાર સવાલોના ઘેરામાં છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદથી અનેક એવી ખબરો આવી છે કે જેમા વિમાનની ઈમરજન્સી લેન્ડીંગ કરાવવી પડી તો ક્યારેક ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટ કેન્સલ કરવી પડી.
વિશ્વભરમાં અનેક વિમાન દુર્ઘટનાઓ થઈ પરંતુ સૌથી વધુ આઘાતજનક એ છે કે છેલ્લા એક દાયકામાં થયેલી વિમાન દુર્ઘટનાઓમાંથી લગભગ અડધો અડધ પ્લેન દુર્ઘટના બોઈંગ ઍરક્રાફ્ટમાં થઈ. જા ફક્ત ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા એક દાયકામાં બે મોટી વિમાન દુર્ઘટના થઈ અને બંને વિમાન બોઈંગના જ હતા. હવે સવાલ એ છે કે જે ઍરક્રાફ્ટ એક સમયે સૌથી વધુ ભરોસાપાત્ર હતા તો હવે સવાલોના ઘેરમાં છે ? કેમ બોઈંગ ઍરક્રાફ્ટની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે.
૧૬૧.૩૬ અબજ ડાલરની નેટવર્થ ધરાવતી બોઈંગ કંપની દુર્ઘટનાઓને લઈને બદનામ થઈ ગઈ છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર બોઈંગના ૧૦૮ વર્ષના ઈતિહાસમાં ૬૦૦૦ થી વધુ પ્લેન ક્રેશ થયા. આ દુર્ઘટનાઓમાં ૯૦૦૦થી વધુ લોકોના મોત થયા. બોઈંગ વિમાનોની ૪૫૦ થી વધુ દુર્ઘટના થઈ, જેમા બે દુર્ઘટના તો એવી છે કે જેમા ૫૮૩ લોકો મૃત્યુ પામ્યા હતા. બોઈંગ વિમાનોની સલામતી અને ટેકનિકલ ક્ષતિઓ પહેલા પણ સમાચારોની હેડલાઈન બની ચુકી છે. ક્યારેક ઍરલાઈનની બેટરીની ખામી સામે આવી તો ક્યારેક હવામાં વિમાનનો દરવાજા તૂટી જવો.
વર્ષ ૨૦૧૩માં બોઈંગના ડ્રીમલાઈનરની બેટરની સમસ્યા આવી, બોઈંગના લિથિયમ ઓયન બેટરી ગરમ થવાથી જાપાનના બે વિમાનોમાં આગ લાગી ગઈ. જે બાદ બોઈંગના ડ્રીમલાઈનરને ત્રણ મહિના માટે ઉડાન ભરવા પર રોક લગાવી દેવાઈ હતી. વર્ષ ૨૦૧૩માં લંડનમાં રનવે પર ઊભેલા વિમાનમાં આગ લાગી ગઈ. જેનુ કારણ શોર્ટ સર્કિટ બતાવાયુ હતુ. વર્ષ ૨૦૨૧માં તપાસ દરમિયાન ડ્રીમ લાઈનના ૧૦૦ થી વધુ વિમાનોમાં ઈલેક્ટ્રીક સિસ્ટમમાં ખામી સામે આવી. જે બાદ તેને ગ્રાઉન્ડેડ કરી દેવાયા.
વર્ષ ૨૦૨૪ માં સિડનીના ઓકલેન્ડ જનારા બોઈંગ વિમાન અધવચ્ચે આકાશમાં જ હાલકડોલક થવા લાગ્યુ. એજ વર્ષે સાન ફ્રાન્સિસ્કો જનારા વિમાનની વિન્ડસ્ક્રીન હવાથી ક્રેક થઈ ગઈ. વર્ષ ૨૦૨૪મા અલાસ્કા ઍરલાઈન્સની ઉડાન દરમિયાન બોઈંગ વિમાનનો એક દરવાજા તૂટી ગયો. આ દુર્ઘટના બાદ બોઈંગને ૧૬૦ મિલિયન ડાલરનું નુકસાન આપવુ પડ્યુ હતુ. એટલુ જ નહીં બોઈંગ વિમાનોને લઈને ક્યારેક આગની ચેતવણી તો ક્યારેક વિન્ડસ્ક્રીનમાં તિરાડો અને ક્યારેલ લેન્ડીંગ ગિયર ફસાવા જેવી ફરિયાદો નોંધાઈ છે.
બોઈંગ વિમાનોની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠ્યા છે, પરંતુ જેમણે પણ ખામીઓને બહાર લાવવાની કોશિષ કરી તેમની મૃત્યુ થઈ ગઈ. બોઈંગના એક એન્જીનિયક જાશુઆ ડીને ૭૩૭ મેક્સ વિમાનના મેન્યુફેક્ચરિંગ ખામીની વાત કરી હતી તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો અને વર્ષ ૨૦૨૪માં હોસ્પિટલમાં તેનુ મોત થઈ ગયુ. વર્ષ ૨૦૧૯માં બોઈંગની ક્વોલિટી કંટ્રોલ મેનેજર ડાન બર્નેટે પણ બોઈંગ ૭૮૭ ડ્રીમ લાઈનર પર સવાલ ઉઠાવ્યો અને કંપની પર કેસ કરી દીધો પરંતુ વર્ષ ૨૦૨૪માં તેનુ પણ મૃત્યુ થઈ ગયુ. બોઈંગની માત્ર પેસેન્જર ફ્લાઈટ નહીં પરંતુ મિલિટ્ર ઍરક્રાફ્ટમાં પણ ખામીઓ જણાઈ છે. અનેકવાર સવાલ ઉઠ્યા છે પરંતુ છતા કંપનીને ઓર્ડર પર ઓર્ડર મળતા રહે છે.
અમદાવાદમાં ઍર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈન વિમાન મોડલ પ્રથમવાર દુર્ઘટનાનો ભોગ બન્યુ હતુ. પરંતુ બોઈંગના અન્ય વિમાનોની સાથે ૬૦૦૦ થી વધુ દુર્ઘટનાઓ થઈ ચુકી છે. અલગ અલગ દુર્ઘટનાઓમાં ૯૦૦૦ થી વધુ લોકોના જીવ ગયા છે. ઈન્ટરનેશનલ એવિએશનલ ઓર્ગેનાઈજેશન એટલે કે ૈંઝ્રર્છં ના ડેટા અનુસાર વર્ષ ૨૦૧૩ થી લઈને ૨૦૨૪ સુધીમાં વિશ્વભરમાં લગભગ ૫૬ વિમાન દુર્ઘટનાઓ થઈ છે. જેમા ૧૯ દુર્ઘટનાઓમાં બોઈંગના વિમાન હતા. માત્ર ભારતની વાત કરીએ તો છેલ્લા ૧૦ વર્ષમાં બે મોટી વિમાન દુર્ઘટનાઓ થઈ છે અને બંનેમાં બોઈંગના જ વિમાન સામેલ હતા. ઓગસ્ટ ૨૦૨૦માં કોઝિકોડમાં ઍર ઈન્ડિયાનું બોઈંગ ૭૩૭-૮ એચજી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ અને વર્ષ ૨૦૨૫માં ૬ જૂન અમદાવાદમાં ઍર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈન ભયંકર રીતે ક્રેશ થઈ ગયુ.બોઈંગન ઍરક્રાફ્ટ પર ભલે સવાલ ઉઠતા રહ્યા હોય પરંતુ કંપીનીને મળનારા ઓર્ડરમાં કોઈ જ કમી આવી નથી. વર્ષ ૨૦૨૫માં તો કંપની માટે સૌથી સારુ રહ્યુ છે. આ વર્ષે કંપનીને ૫૧૨ બોઈંગ વિમાનના ઓર્ડર મળ્યા છે. જે તેની પ્રતિદ્વંદી કંપની ઍરબસની સરખામણીએ બેગણા વધુ છે.