રાજુલામાં રહેતા એક યુવક પર લૂંટનો કેસ થયો હતો. આ કેસ ચાલી જતાં તેમણે હુકમના કાગળ માંગ્યા હતા, જેથી વકીલે “કાગળ દેવાના થતા નથી” કહી ઢીકાપાટુ માર્યા હતા. બનાવ અંગે કડીયાળી ગામે રહેતા સામતભાઈ બાવભાઈ ખુમાણ (ઉ.વ.૩૨)એ દિપકભાઈ પરમાર, દિવ્યેશભાઈ પરમાર, રામભાઈ પરમાર તથા દિપકભાઈના પત્ની સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની ઉપર અગાઉ લૂંટનો કેસ થયો હતો. જે કેસમાં દિપકભાઈ પરમાર વકીલ તરીકે હતા અને આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તેમને આખરી હુકમ કાઢી આપતા નહોતા. જેથી તેઓ તેમના ઘરે ફોન કરી ગયા હતા અને કાગળ માંગ્યા હતા. આરોપીએ “હુકમના કાગળ દેવાના થતા નથી તારાથી થાય તે કરી લેજે” તેમ કહી તમામે ભેગા મળી જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ લાકડીના બે ઘા મારી ફ્રેક્ચરની ઈજા કરી હતી.