હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ ડાયરેકટર માનસી સહાય ઠાકુર (આઇએએસ હિમાચલ પ્રદેશ) અને રાષ્ટ્રીય જળ જીવન મિશન ટેક્નિકલ એડવાઇઝર કે.પી. કૃષ્ણ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ ટીમ દ્વારા ગ્રામ્ય પાણી સમિતિઓ સાથે સંવાદ કરી પાણી વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. માનસી સહાય ઠાકુરના અધ્યક્ષસ્થાને, જિલ્લા કલેકટર અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોના પાણી સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઠાકુરે પાણીના સ્ત્રોતો, બોર રિચાર્જ, પાણીની ગુણવત્તા ચકાસણી અને જળસંગ્રહ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે મહિલાઓને પાણી સમિતિના કાર્યમાં સક્રિય કરવા અને જનજાગૃતિ લાવવા સૂચનો કર્યા હતા. આ બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કર્મયોગીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.