કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ચોમાસુ સત્ર માટે પાર્ટીની રણનીતિ નક્કી કરવા માટે ૧૫ જુલાઈએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક તેમના નિવાસસ્થાન ૧૦ જનપથ ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ કે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
તમને જણાવી દઈએ કે ચોમાસુ સત્ર ૨૧ જુલાઈથી શરૂ થશે અને ૨૧ ઓગસ્ટ સુધી ચાલશે. અગાઉ આ સત્ર ૧૨ ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનું હતું, પરંતુ સરકારે તેને એક અઠવાડિયા માટે લંબાવ્યું છે. આ સમય દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ થવાની ધારણા છે, જેમાં ખાનગી ક્ષેત્રને પરમાણુ ઉર્જામાં પ્રવેશવાની મંજૂરી આપતો કાયદો પણ સામેલ છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો આ સત્રમાં ઘણા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને, વિપક્ષ બિહારમાં ખાસ મતદાર યાદીમાં સુધારો કરવાના ચૂંટણી પંચના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવી શકે છે.
૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, વિપક્ષ ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ અને તે પછીના રાજદ્વારી પ્રયાસો પર ચર્ચાની પણ માંગ કરી રહ્યું છે. વિપક્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાનો પણ જવાબ માંગ્યો છે, જેમાં તેમણે ભારત-પાકિસ્તાન તણાવમાં મધ્યસ્થી કરવાની વાત કરી હતી. જાકે, ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારત ન તો મધ્યસ્થી સ્વીકારે છે અને ન તો ભવિષ્યમાં કરશે.
કોંગ્રેસની આ બેઠકને ચોમાસુ સત્રમાં વિપક્ષની એક સંયુક્ત અને મજબૂત રણનીતિ બનાવવા તરફનો એક મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. પક્ષના સૂત્રો કહે છે કે આ સત્રમાં વિપક્ષ સરકારના દરેક પગલા પર નજર રાખશે અને જાહેર હિતને લગતા મુદ્દાઓને જારશોરથી ઉઠાવશે. કોંગ્રેસની તૈયારીઓ જાતા એવું લાગે છે કે સંસદનું ચોમાસુ સત્ર પણ તોફાની બનવાનું છે.