પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં રાજ્યમાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્તેંસિવ રિવિઝન પ્રક્રિયા સામેની તેમની ચાલી રહેલી લડાઈને દિલ્હી લઈ જશે. તેમના દિલ્હી પ્રવાસના સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારો કર્યા પછી બેનર્જીએ આ નિવેદન આપ્યું હતું.
તૃણમૂલ કોંગ્રેસ અનુસાર, મમતા બેનર્જી ૨ ફેબ્રુઆરીએ સાંજે ૪ વાગ્યે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનરને મળશે. તેઓ ચૂંટણી પંચની પૂર્ણ બેન્ચને મળશે. ટીએમસીના વડાએ અગાઉ તેમના નજીકના સાથીઓને સંસદમાં વિપક્ષી નેતાઓને મળવાના તેમના ઇરાદા વિશે જાણ કરી હતી.
મમતા બેનર્જીએ સિંગુરમાં એક જાહેર રેલી દરમિયાન કહ્યું, “આ બેઠક પછી મારે દિલ્હી જવાનું હતું. પરંતુ કેટલાક કમનસીબ સંજાગોને કારણે, મારે મારી યાત્રા રદ કરવી પડી.” તેમણે આ વાત કોલકાતાના પૂર્વ સીમાડા પર આવેલા આનંદપુરમાં એક વેરહાઉસમાં લાગેલી વિનાશક આગનો ઉલ્લેખ કર્યો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા.
મુખ્યમંત્રીએ કહ્યું, “પરંતુ, જા આજે નહીં, તો હું કાલે અથવા પરમ દિવસે ચોક્કસપણે દિલ્હી જઈશ.” કારણ કે તમે મારાથી શાંતિથી બેસવાની અપેક્ષા રાખી શકતા નથી. જા જરૂરી હોય તો, હું કોર્ટમાં ઊભા રહીશ. જા પરવાનગી મળે તો, હું જનતા વતી પણ દલીલ કરીશ, વકીલ તરીકે નહીં પણ એક નાગરિક તરીકે. મેં આ કેસ માટે જરૂરી બધા દસ્તાવેજા અને પુરાવા સાચવી રાખ્યા છે.
ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બંને પર એસઆઇઆરના નામે લોકોને હેરાન કરવાનો આરોપ લગાવતા, મમતા બેનર્જીએ કહ્યું કે આ કવાયત દ્ગઇઝ્ર (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ) ને ગુપ્ત રીતે લાગુ કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું, “અમે તેમને કોઈને પણ ડિટેન્શન કેમ્પમાં મોકલવા નહીં દઈએ; અમે અહીં એનઆરસી લાગુ થવા દઈશું નહીં. હું તેમના ગૌરવને તોડી નાખીશ; મારા પર વિશ્વાસ કરો.”