સાવરકુંડલાના વાશીયાળી ગામના વકીલને મોટર સાયકલ ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે નરશીભાઈ જીવરાજભાઈ બગડા (ઉ.વ.૩૩)એ જેજાદ ગામના જેન્તીભાઈ પ્રાગજીભાઈ બરવાળીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ વાશીયાળીથી જેજાદ જવાના રસ્તે તેમની વાડીના શેઢા પાસે ટક્કર મારી હતી. જેમાં તેમને ઈજા થતાં ચાલક વાહન સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.